ભીલવણ માં દલિત મુસ્લિમના થયેલ ઝઘડા બાબતે વડગામના ધારાસભ્યશ્રીએ મુલાકાત લીધી અને આશ્વાસન આપેલ તેમણે જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે અને સૌને બંધારણમાં વિશ્વાસ રાખવા માટે નમ્ર અપીલ કરેલ તેમણે દરેક સમાજના
લોકોને શાંતિ જાળવી રાખીને સામાજિક એકતા જાળવવા માટે અપીલ કરેલ તેમણે દલિત સમાજના લોકોને આશ્વાસન આપેલ અને તેમને સંપૂર્ણ રીતે મદદ કરવાની ખાતરી આપેલ દરેક સમાજના ભાઈઓ બહેનોએ સાથે રહીને સામાજિક એકતા જાળવવા માટે નમ્ર અરજ કરેલ આ પ્રસંગે તેમની સાથે પાટણના રોમ કોમ્પ્યુટર ના કમલેશભાઈ સોલંકી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ રાઠોડ, નોટરી એડવોકેટ મુકેશભાઈ પરમાર, ભરત ભાઈ વાણીયા હેરીશન પરીખ પણ જોડાયા હતા




