થરાઓગડ તાલુકાના થરા નગર ખાતે આવેલ પ્રાચીન શ્રી શાંતિનાથ દાદા ના સાનિધ્યમાં પોષ સુદ ત્રીજના રોજ વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવાન શ્રી ભક્તિ સૂરીશ્વરજી મ.સા.ની ૬૬મી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી સાથે ગુણાનુવાદ સહ સામુહિક આંયબીલ તપની આરાધના થઈ ગુણાનુંવાદ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પેન્દ્રસૂરીશ્વરજી મ.સા.તથા પન્યાસ પ્રવર શ્રી કલ્પબોધીવિજયશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં થરા જૈન સંઘના શ્રેષ્ઠીઓ પૂણ્ય પુરૂષના ગુણાનુંવાદ કર્યા.૧૦૮ સામુહિક આંયબીલ તથા રૂ.૧૫૦ની પ્રભાવાના તેમજ પ્રવચનમાં ડ્રો પ્રભાવાના સારી કરવામાં આવેલ. સંઘમાં પૂ. પૂણ્યપુંજ પુરૂષના ગુણાનુંવાદથી સુભગ જાણકારી પ્રાપ્ત થઈ.
યશપાલસિંહ ટી વાઘેલા




