પાટણ: પાટણવાળા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજના મંત્રી સ્વ. રમેશભાઈ નાયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

નવા મંત્રી તરીકે રમેશભાઈ ઈશ્વરભાઈ નાયી (કોટાવડ)ની સર્વાનુમતે વરણી

પાટણ:
શ્રી પાટણવાળા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ દ્વારા સમાજના કર્મઠ અને નિષ્ઠાવાન મંત્રી સ્વ. શ્રી રમેશભાઈ શંભુભાઈ નાયી (વામૈયાવાળા)ના દુઃખદ અવસાન નિમિત્તે મરણોત્તર સન્માન અને શ્રદ્ધાંજલિ સભાનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
સેવાકાર્યોની સુવાસ કાયમ રહેશે
શ્રદ્ધાંજલિ સભા દરમિયાન વક્તાઓએ સ્વ. રમેશભાઈના જીવન અને સમાજ પ્રત્યેના તેમના અવિરત સેવાકાર્યોને યાદ કર્યા હતા. સમાજના હિત માટે તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની સુવાસ હંમેશા સમાજમાં કાયમ રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ દુઃખદ ક્ષણે ઉપસ્થિત સૌએ સ્વર્ગસ્થના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી.
નવી જવાબદારી સોંપાઈ
બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ પાટણના મંત્રી તરીકે સ્વ. રમેશભાઈના અવસાનથી જે ખોટ પડી હતી, તેને પૂર્ણ કરવા માટે સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કપરા સમયમાં સમાજની ઈચ્છા અને લાગણીને માન આપીને શ્રી રમેશભાઈ ઈશ્વરભાઈ નાયી (કોટાવડ-હાલ કલોલ), જેઓ પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમણે મંત્રી પદની જવાબદારી સંભાળવા સહમતી દર્શાવી હતી.
સમાજ દ્વારા સર્વાનુમતે તેમને મંત્રીશ્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે પ્રમુખશ્રી શંકરભાઈ એ. નાયી (કોટાવડ-હાલ પાટણ) અને ઈ.ચા. પ્રમુખશ્રી આત્મારામભાઈ જી. નાયી (કલ્યાણા-હાલ પાટણ) સહિત સમગ્ર બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ દ્વારા નવનિયુક્ત મંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ સમાજ અવિરત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here