“વિશ્વ સ્તનપાન પખવાડિયા” ની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ દ્વારા 6 ઓગસ્ટ ના રોજ જંઘરાલ CHC સેન્ટર ખાતે આંગણવાડી બેનો અને સગર્ભા માતાઓને માહિતગાર કરવા સ્તનપાન જાગૃતિ માટે વર્કશોપ યોજવામા આવ્યો હતો.



કાર્યક્રમમા મહિલાઓને માહિતી સાથેનું પેમ્લેટ આપવામા avyu હતું અને સ્તનપાન શા માટે ? અને તેના ફાયદા વિશેની વિસ્તૃત માહિતી રોટરી પ્રમુખ રો ડૉ પરિમલ જાની અને પ્રોજેક્ટ ચેરમેન રૉ ડૉ નૈશગી પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ સ્તનપાન જાગૃતિ વર્કશોપ કાર્યક્રમમાં રોટરી મિત્રો પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




