શહેરના ખાલકપુરા મા અનાથ બનેલા બાળકો પ્રત્યે કરૂણા વ્યકત કરતાં એ ડિવીઝન પીઆઈ કે.જે.ભોંયે અને તેમની ટીમ..

માતાનું અવસાન અને પિતા અગાઉ ગુજરી જતાં નિરાધાર બનેલા બે માસૂમ બાળકોની વ્હારે દોડી આવી પાટણ ‘એ’ ડિવીઝન પોલીસ

પાટણ તા. 5
પાટણ સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખાલકપુરા ખાતે રહેતા પિન્કીબહેન ભરતભાઈ પટણી નું તાજેતરમાં અવસાન થતાં તેમના બે નાના બાળકો નિરાધાર બન્યા હતા. બાળકોના પિતાનું પણ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.
ત્યારે આ દુઃખદ પરિસ્થિતિને ધ્યાને રાખી,બંન્ને અનાથ બાળકોનું ગુજરાન ચાલે અને તેમનો અભ્યાસ અટકે નહીં તે હેતુથી પાટણ સિટી એ ડિવીઝન પીઆઈ કે.જે.ભોંયે સહિત પોલીસ ટીમે માનવતાના ધોરણે બુધવારે બંન્ને અનાથ બાળકોના ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈ બંન્ને બાળકો ને સાંત્વના પાઠવી પોલીસ ટીમ દ્વારા રાશન કીટ સાથે બન્ને બાળકોના અભ્યાસ માટે નોટબુક્સો અપૅણ કરી ભવિષ્યમાં પણ બંને બાળકોના શિક્ષણ અને જીવન નિર્વાહ માટે શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી.
પાટણ એ ડિવીઝન પીઆઈ સહિત સમગ્ર પોલીસ ટીમની અનાથ બનેલ આ બંન્ને બાળકો પ્રત્યેની કરૂણા ને સૌએ સરાહનીય લેખાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here