News: વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામે ગ્રામ સભા અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વહો વિશ્વામિત્રી અભિયાનના ભાગરૂપે બાયોશિલ્ડ પ્લાન્ટેશન બાબતે સભામાં ઉપસ્થિત ૧૨૫ ગામલોકો તથા વિધાર્થીઓ સાથે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં શાંતિનિકેતન પરિસરના ટ્રસ્ટી આચાર્ય ઉત્કર્ષ જોશી, લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા નિયામક ડૉ. જીતેન્દ્ર ગવળી તથા કાર્યક્ર્મ સંયોજક દિનેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.




