પર્યટકો આદિવાસી નૃત્ય નિહાળી મંત્રમુગ્ધ બન્યા
પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં ખાતે પુરાતન વિભાગ વડોદરા દ્વારા આઝાદી ક અમૃત મહોત્સવ ઉજવણી કરાઈ હતી. જેમાં ભરૂચના સિદી ગ્રુપ દ્વારા આદિવાસી નૃત્ય સહિત સફાઈ અને ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે આઝાદી ક અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભરૂચના સિદી ધમલ ગ્રુપ દ્વારા આદિવાસી નૃત્ય સફાઈ અને ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જે જોઈ ઉપસ્થિત મહેમાનો અને પર્યટકો માત્રમાંગુધ બન્યા હતા. આ પ્રસંગે પુરાતન વિભાગના વડોદરા સર્કલ રાણકી વાવ અધિકારી આઈ એમ મનસુરી, વડોદરા સર્કલ એન્જીનીયર અર્ચના કોલ, આશુતોષ પાઠક, પારસભાઈ ખમાર સહિત પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અશુતોસ પાઠકે કર્યું હતું….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ




