વડોદરાની વિશ્વામિત્રી નદી નો ઘાટ પિકનિક પોઇન્ટ બન્યો છે. હવે આ ઘાટ પર પ્રદર્શન, મિટીંગ, ભજનસંધ્યા સાથે ફોટો સેશન પણ થવા લાગ્યા છે

વડોદરાની વચ્ચેથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીના કાલાઘોડા વિસ્તારની પાસે આવેલા યવતેશ્વર ઘાટનો પુનરોદ્ધાર વિવિધ સેવાકીય સંસ્થાઓ યુવકોએ ભેગા મળીને કર્યો. એ પછી બરોડીયન માટે ફરવા, મીટીંગ અને પ્રદર્શન માટેની જગ્યા સાથે ફોટો સેશન માટેનું આકર્ષણ બન્યો છે. વર્ષોથી વડોદરા માં વસનારાઓને પણ આ ઘાટની જાણ ન હતી. એવું પણ જાણવા મળ્યું. જે યુવકોએ આ સુંદર કામ કર્યું તે અભિનંદનીય છે. સાથે દરેક શહેરનો યુવક આ પ્રકારે કાર્ય કરે તો શહેરની કાયાપલટ તંત્રની સહાય વિના થઈ જ શકે એમ નથી લાગતું ?
મનીષ જોષી ” મૌન “દ્વારા




